ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બે બ્લાસ્ટમાં 103 લોકોના મોત

બુધવારે (03 જાન્યુઆરી) ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ થયો હતો. જેમાં 100થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઈરાનના કેરમન શહેરમાં બે જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં 103 લોકોના મોત થયા હતા. જ્યારે 170થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે. આ વિસ્ફોટો દેશના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયા હતા. ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા.

ઈરાનના ડેપ્યુટી ગવર્નરે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અમેરિકાએ વર્ષ 2020માં ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેની પછી સુલેમાનીની ગણના દેશના સૌથી શક્તિશાળી લોકોમાં થતી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રસ્તા પર ઘણા મૃતદેહો જોવા મળે છે. ઈરાનના મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં વિસ્ફોટ બાદ મોટા ટોળાં વિસ્તારથી ભાગી જતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

મૃત્યુઆંક વધી શકે છે

ઈરાનના નેશનલ ઈમરજન્સી સર્વિસ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા બાબાક યેક્તા પરસ્તે જણાવ્યું હતું કે વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. 

પૂર્વ જનરલનું મોત કેવી રીતે થયું?

પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં આજે તેમના મૃત્યુને ચાર વર્ષ થઈ ગયા છે. આ પ્રસંગે તેમના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિસ્ફોટો થયા હતા. ઉલ્લેખનીય છે કે 2020માં ટ્રમ્પે સુલેમાનીના મોતને સૌથી મોટી જીત ગણાવી હતી અને તેને દુનિયાનો નંબર વન આતંકવાદી પણ ગણાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *