300થી વધુ ભારતીયોને લઈ જતું વિમાન ફ્રાન્સમાં આવ્યું રોકવામાં 

ફ્રાન્સમાં રોકાયેલા વિમાનને લઈને ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તે પરિસ્થિતિની તપાસ કરી રહી છે. વિમાનમાં 300થી વધુ ભારતીય મુસાફરો સવાર હતા.

ભારતીય દૂતાવાસે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ત્રણસોથી વધુ ભારતીય મુસાફરોને લઈ જઈ રહેલા વિમાનની અટકાયત પર પ્રતિક્રિયા આપી છે. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે (22 ડિસેમ્બર) તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દૂતાવાસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિની તપાસ કરી રહી છે.

ભારતીય દૂતાવાસે પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ફ્રેન્ચ સત્તાવાળાઓએ અમને જાણ કરી છે કે દુબઈથી નિકારાગુઆ જતી 303 લોકો સાથેની ફ્લાઈટને ફ્રેન્ચ એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે અટકાયતમાં લેવામાં આવી છે.” દૂતાવાસની ટીમ આવી પહોંચી છે અને કોન્સ્યુલર એક્સેસ મેળવ્યો છે. અમે પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છીએ અને મુસાફરોની સુખાકારી પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.

ફ્રાન્સમાં 300થી વધુ ભારતીય મુસાફરોને લઈ જતું વિમાન અટકાવવામાં આવ્યું હતું. આ વિમાન યુનાઈટેડ આરબ અમીરાતથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે માનવ તસ્કરીની આશંકાથી વિમાનને ફ્રાંસમાં રોકી દેવામાં આવ્યું છે.

પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે મુસાફરો માનવ તસ્કરીનો ભોગ બન્યા હોવાની આશંકાથી ગુરૂવારે (21 ડિસેમ્બર) પ્લેનને અટકાવવામાં આવ્યું હતું. પ્રોસિક્યુટર્સે કહ્યું કે રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી એકમ જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *