અમિત શાહે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

જમ્મુ-કાશ્મીરમાં બે મોટા બિલ અંગે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં લાખો લોકો દર્શન માટે આવે છે, ફિલ્મનું શૂટિંગ કરનારા લોકો કહે છે કે આજે કાશ્મીરની સ્થિતિ ઘણી સારી છે. આ સાથે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ પર લાગેલા આરોપોને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ મામલે અમારો દૃષ્ટિકોણ થોડો સંકુચિત છે. અમારી સરકાર માટે એક ઇંચ પણ જમીન ગુમાવવી શક્ય નથી.

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ અને અનામત સુધારા બિલ પર ઘણા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ નહેરુની ભૂલ હતી જે તેમણે પોતે સ્વીકારી છે. આ સાથે તેમણે કહ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

આ સાથે તેમણે કહ્યું કે કલમ 370 પહેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હજારો લોકો આવતા હતા. પરંતુ આજે અમે તે નક્કી કર્યું છે કે, જો કોઈના પરિવારના સભ્ય આતંકવાદ સાથે સંકળાયેલા હોય તો તેવા લોકોને સરકારી નોકરી નહીં મળે.

નેહરુજી કાશ્મીરમાં અડધું કામ છોડીને પાછા આવ્યાઃ શાહ

તેમણે કહ્યું કે નેહરુના કારણે કાશ્મીર અહીં છે, જો નેહરુ ન હોત તો કાશ્મીર ન હોત. કોંગ્રેસના નિવેદનનો પલટવાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હૈદરાબાદમાં આના કરતા પણ મોટો મુદ્દો છે. પણ નેહરુએ ત્યાં ધ્યાન આપ્યું નહીં. તે જમ્મુ-કાશ્મીરમાં કામ જાતે જ જોતા હતા અને તે પણ તેમણે અધૂરૂ છોડી દીધુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *