અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પથ પર, યાત્રી સુવિધા કેન્દ્ર નું ભૂમિપૂજન

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શનિવારે જન્મભૂમિ પથની બાજુમાં યાત્રી સુવિધા કેન્દ્ર નું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન નિર્મોહી અખાડાના શ્રી મહંત અને તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચંપત રાયના જણાવ્યા અનુસાર, ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવનાર આ યાત્રી સુવિધા કેન્દ્રમાં બે માળ હશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સતત નવા પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. આ સંદર્ભે જન્મભૂમિ પથની બાજુમાં આવેલી જમીન સંપાદિત કર્યા બાદ, આજે ભૂમિપૂજન કરીને શ્રદ્ધાળુઓ માટે નવી વ્યવસ્થા કાર્યરત કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.

ભૂમિપૂજન દરમિયાન રાજ્યના ભૂતપૂર્વ ગૃહ સચિવ અવનીશ અવસ્થી, સંઘના સહ-ક્ષેત્ર સંપર્ક પ્રમુખ મનોજ, પૂજારી રમેશ દાસ, ગોપાલ, વીએચપી નેતા શરદ શર્મા સહિત ઘણા અગ્રણી લોકો હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *