મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ફાયરિંગ, ગામ છોડીને ભાગ્યા 100થી વધુ લોકો

બુધવારે મણિપુરમાં ફરી ફાયરિંગ શરૂ થયાના સમાચાર હતા. પોલીસે જણાવ્યું કે મણિપુરના કુમ્બી વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર લોકો ગુમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ લોકો બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાને અડીને આવેલા પહાડી વિસ્તારોમાં લાકડા એકત્ર કરવા ગયા હતા અને ત્યારથી તેઓ ગુમ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી માહિતી મળી નથી.

પોલીસ અધિકારીએ કહ્યું કે ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે તે ચાર લોકોની ઓળખ દારા સિંહ, ઈબોમચા સિંહ, રોમૈન સિંહ અને આનંદ સિંહ તરીકે થઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે તેને હથિયારધારી લોકોએ કેદી બનાવી લીધા હશે. તેમણે કહ્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે કેન્દ્રીય દળોની મદદ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *