‘વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમૃદ્ધ વારસાને જાળવવાનો સરકારનો સંકલ્પ’, અયોધ્યા મુલાકાત પહેલા PM મોદીએ કર્યુ ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. શુક્રવાર, 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ સૌગાત કરશે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાતના એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. બીજી બાજુ મુલાકાત પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે સરકાર અયોધ્યાની વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને સમૃદ્ધ વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘અમારી સરકાર વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, કનેક્ટિવિટી સુધારવા અને ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાના સમૃદ્ધ વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં હું આવતીકાલે નવનિર્મિત એરપોર્ટ અને પુનઃવિકાસિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરીશ. 

રેલવે સ્ટેશન – એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.15 કલાકે પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ નવી અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. તે અન્ય ઘણા રેલ્વે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી વડાપ્રધાન લગભગ 12.15 કલાકે નવનિર્મિત એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યામાં બનેલા આ એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મીકિ’ રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *