ગુજરાત સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો.
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર 22 જાન્યુઆરીએ છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અડધા દિવસની રજા જાહેર કરવામા આવી હતી અને ત્યારબાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત તથા દેશમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે એટલે કે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.