છત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફ સબ ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી, શહીદ થયા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ રામુ, ગોળીથી ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સીઆરપીએફની 165મી બટાલિયનના, સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીની શહીદીને શ્રદ્ધાંજલિ આપી છે.
તેમણે આ ઘટના પર, ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. જણાવવામાં આવ્યું છે કે,’ સવારે જગરગુંડા પોલીસ સ્ટેશન હેઠળના કેમ્પ બેદ્રેથી સીઆરપીએફની 165મી બટાલિયનની કંપની, ઉર્સાંગલ તરફ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન પહેલેથી ઘાત લગાવી બેઠેલા નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર, ઓચિંતો હુમલો કર્યો. અને બંને ટીમ વચ્ચે અથડામણ શરૂ થયું હતું.
આ અથડામણમાં 165મી બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળીથી ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકને, પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન પોલીસે, ચાર શકમંદોને ઝડપી લીધા છે. સીઆરપીએફ, કોબ્રા અને જિલ્લા દળ દ્વારા આસપાસના વિસ્તારમાં, સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ પહેલા પણ પંખાજૂર વિસ્તારમાં, નક્સલીઓએ એક ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. શનિવારે પોલીસ ટીમે સર્ચ દરમિયાન ચાર નક્સલીઓની, ધરપકડ કરી હતી. આ તમામ નક્સલવાદીઓ આઈઇડી બ્લાસ્ટ સહિત અન્ય ઘટનાઓમાં સામેલ હતા.
છત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફ સબ ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી, શહીદ થયા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ રામુ, ગોળીથી ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સીઆરપીએફની 165મી બટાલિયનના, સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીની શહીદીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે આ ઘટના પર, ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
જણાવવામાં આવ્યું છે કે,’ સવારે જગરગુંડા પોલીસ સ્ટેશન હેઠળના કેમ્પ બેદ્રેથી સીઆરપીએફની 165મી બટાલિયનની કંપની, ઉર્સાંગલ તરફ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન પહેલેથી ઘાત લગાવી બેઠેલા નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર, ઓચિંતો હુમલો કર્યો. અને બંને ટીમ વચ્ચે અથડામણ શરૂ થયું હતું. આ અથડામણમાં 165મી બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળીથી ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકને, પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
દરમિયાન પોલીસે, ચાર શકમંદોને ઝડપી લીધા છે. સીઆરપીએફ, કોબ્રા અને જિલ્લા દળ દ્વારા આસપાસના વિસ્તારમાં, સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ પંખાજૂર વિસ્તારમાં, નક્સલીઓએ એક ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. શનિવારે પોલીસ ટીમે સર્ચ દરમિયાન ચાર નક્સલીઓની, ધરપકડ કરી હતી. આ તમામ નક્સલવાદીઓ આઈઇડી બ્લાસ્ટ સહિત અન્ય ઘટનાઓમાં સામેલ હતા.