શેરબજારમાં રોકાણ કરનારા લોકોની વધી સંખ્યા, દેશના આટલા ટકા પરિવારો કરે છે શેરોમાં રોકાણ

હવે શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકોએ શેરબજારમાં વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું છે. NSEના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, દેશમાં 17 ટકા પરિવારો શેર્સમાં રોકાણ કરે છે. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકો વિશ્વાસને કારણે ઉદ્યોગસાહસિકોમાં રોકાણ કરી રહ્યા છે અને રોકાણકારોની સંખ્યા વધી રહી છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે 17 ટકા ભારતીય પરિવારો શેરમાં રોકાણ કરે છે. આ સાથે તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને ગુણવત્તાયુક્ત કંપનીઓને બજારમાં લાવવા વિનંતી કરી હતી. અહીં ‘એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા’ના એક કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સામાન્ય લોકો વિશ્વાસને કારણે ઉદ્યોગસાહસિકોમાં રોકાણ કરી રહ્યા છે અને રોકાણકારોની સંખ્યા વધી રહી છે.

ચૌહાણે કહ્યું કે પાંચ કરોડ પરિવારમાંથી આઠ કરોડ રોકાણકારોએ રોકાણ કર્યું છે. આનો અર્થ એ થયો કે દેશના કુલ પરિવારોમાંથી 17 ટકા લોકો શેરબજારમાં સીધું રોકાણ કરે છે. તેમણે કહ્યું કે માર્કેટમાં પ્રવેશવા માટે કંપનીઓની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને પ્રાથમિકતા આપવામાં આવે છે. ચૌહાણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને કહ્યું કે માત્ર સારી કંપનીઓ જ બજારમાં આવે તે માટે સખત મહેનત કરે.

સોમવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ સવારના વેપારમાં તીવ્ર વેચવાલીમાંથી રિકવર કરવામાં સફળ રહ્યો હતો અને ટ્રેડિંગના અંતે 329.85 પોઈન્ટ અથવા 0.52 ટકા વધીને 64,112.65 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે ટ્રેડિંગ દરમિયાન તે 401.78 પોઈન્ટ વધીને 64,184.58 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 93.65 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 19,140.90 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *