રાજ્યમાં દિનપ્રતિદિન ચોરી અને લૂંટની ઘટના વધતી જઈ રહી છે. ત્યારે હવે ગીર સોમનાથના ભાજપ નેતાના ધરે ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના ભાજપ નેતાના ધરે ચોરી થઈ છે. જેમાં સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં નેતા કેશુભાઈ જાદવના ઘરે ચોરી થઈ છે. ચોરીની વાત કરીએ તો તસ્કરોએ મકાનનું લોકર તોડીને ચોરીને અંજામ આપ્યો છે તેમાં રૂ.21 લાખની ચોરી થયાનું સામે આવ્યું છે. જેમાં રૂ,6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથના સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં ભાજપ નેતાના ઘરે ચોરીની ઘટના બની છે. માહિતી મુજબ ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરે રૂ.21 લાખની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરો રૂ,6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ રહ્યા હતા. કેશુભાઈ જાદવ જિ.પંના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. આ તરફ હવે ચોરીને લઈ સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.